surendranagar water robbers
સુરેન્દ્રનગરમાં પાણી ચોરી કરતા ૨ હોટલ સંચાલક સામે ફરિયાદ
ચેકિંગ દરિમયાન 12.5 મીમીનું ગેરકાયદે કનેક્શન મળ્યું
સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ મથકે ગુજરાત પાણી પુરવઠા વિભાગના હરીપ્રસાદ કન્સ્ટ્રક્શનના સુપરવાઇઝર પરમાર કૌશીકભાઇ નારણભાઇએ પાણી ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ તેઓ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તક યોજનાની મરામત અને નિભાવણી કામકરતી એજન્સી છે તેમાં સુરપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેઓ ધોળીધજા ડેમમાંથી ગામોને પાણી પૂરી પાડતી પીવાના પાણીની પાઇપલાઇ જે વઢવાણ તાલુકાના જોરાવનગર વિસ્તારની રાજકોટ બાયપાસ ખેરાડી ચોકડી પાસે જાય છે. ત્યાં હરીપ્રસાદ કન્સ્ટ્રક્શન તરફથી ગેરકાયદે કનેશન દૂર કરવાની કામગીરી દરમિયાન વઢવાણ તાલુકાના જોરાવનગરન ગામમાંથી ગેરકાયદે કનેક્શન જણાયા હતા.
જેમાં પીવાના પાણીની લાઇન કે જોરાવરનગર વિસ્તારમાંથી મળી આવી હતી ત્યાં પીવાના પાણીની લનઇમાં 12.5 મીમીનું કનેક્શન મળ્યું હોવાથી માધવ હોટલનાકર્તા યોગીદર્શન સોસાયટીના કર્તાહર્તા, તુલસી હોટલના કર્તાહર્તા સામે ગેરકાયદે કનેક્શન મેળવી પાણી ચોરી કરતા ફરિયાદ નોંધવાઈ હતી.
