વઢવાણના દુધરેજ નજીક ક્રૂડ પાઈપલાઈનમાં લીકેજ થતાં આગ લાગી

વઢવાણના દુધરેજ નજીક ક્રૂડ પાઈપલાઈનમાં લીકેજ થતાં આગ લાગી.

ફાયર અને પોલીસ વિભાગ સહિતની ટીમોએ પહોંચી સફળ કામગીરી કરી.

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના દુધરેજ નજીક ક્રૂડ પાઇપલાઇનમા લીકેજ થતા જિલ્લા તંત્ર દોડતું થયું હતું.

વઢવાણના દુધરેજ નજીક ક્રૂડ પાઈપલાઈનમાં લીકેજ થતાં આગ લાગી

એક વ્યક્તિ ઘાયલ થઈ જવાની જાણ થતાં જ ત્વરિત પ્રાથમિક સારવાર આપવામા હતી.

ઘટનાની જાણ થતા જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડની ટીમ, 108 એમ્બ્યુલન્સની ટીમ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિતના સંબધિત વિભાગોના અધિકારીઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરી હાથ ધરી હતી.

જોકે, અંતે મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

આઈ.ઓ.સી.એલ.ની પશ્ચિમ ક્ષેત્રની સલાયા – મથુરા પાઇપલાઈનમાં ક્રૂડ ઓઇલ સપ્લાય કરવામાં આવે છે.

આ પાઈપલાઈનની જાળવણી, સલામતી અને સુરક્ષા માટે તેમજ કાટ સામે રક્ષણ અને સંરક્ષણ માટે CTE કોટિંગ (કોલ્ડ ટેપ અને PU દ્વારા બદલવામાં આવે છે) કરવાની કામગીરી ચાલી રહી છે.

વઢવાણના દુધરેજ નજીક ક્રૂડ પાઈપલાઈનમાં લીકેજ થતાં આગ લાગી

કોટિંગ કામ કરતી વખતે પાઇપની સપાટી સાફ કરવામાં આવે છે. આ સપાટી સાફ કરતી વેળાએ થોડું ક્રૂડ સીપેજ થયું હતું.

સાઈટ ઇજનેરો કામગીરી તપાસ કરી રહ્યા હતા, ત્યારે માઈનોર સીપેજ ધ્યાનમાં આવતાં કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી.

કંટ્રોલ રૂમને જાણ થતા જ સંબંધિત તમામ ટીમને જાણ કરી દેવામાં આવી હતી. મેન્ટેનન્સ ટીમ તુરંત જ પહોંચી ગઈ હતી.

ક્રૂડ સીપેજ વધી જતા લીકેજમાં ફેરવાયું અને પરિણામે આગ લાગવાનું શરૂ થતાં આઈ.ઓ.સી.એલ.ની ટીમ દ્વારા ફાયર એક્સ્ટીંગ્યુશરની મદદથી આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા.

આ દરમિયાન આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થઈ હતી. જેને આઈ.ઓ.સી.એલ.ની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

ગણતરીની મીનીટોમાં જ ફાયર બ્રિગેડની ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ પહોંચી ગઈ હતી.

ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લીધા બાદ પાઈપલાઈન લીકેજ રીપેરીંગની કામગીરી ત્વરિત હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવ્યાં બાદ આઈ.ઓ.સી.એલ.ના ડેપ્યુટી જનરલ મેનેજર અને સ્ટેશન ઈન્ચાર્જ વિજય જૈન દ્વારા સમગ્ર ઘટનાને ઓફસાઇટ મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.

પાઈપ લાઈન લીકેજ હોય ત્યારે આપત્તિ સમયે કેવા કેવા પગલાં લેવા જોઈએ ? કોને કોને જાણ કરવી જોઈએ ? કઈ રીતે સાવચેતી રાખવી ? તે તમામ બાબતે મહત્વવપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.

ઘાયલ થયેલ લોકોને આપવાની થતી પ્રાથમિક સારવાર બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યાં હતા.

આપત્તિ સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલ સુરેન્દ્રનગર મામલતદાર એચ.ડી. વાડા, ડેપ્યુટી મામલતદાર એચ.જે. શ્રોત્રિય, ડી.પી.ઓ. હિમાંશુ સોલંકી, ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ આસિસ્ટન્ટ ડાયરેક્ટર જતીન આદેશરા, એન. ડી.આર.એફ. ઈન્સ્પેક્ટર અમિતકુમાર જાખર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુરેન્દ્રનગરના દશરથ નારોડા અને હસમુખ સોનારા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સુબ્રત બેહેરા અને નિમિત ઉપાધ્યાય, સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એસ.જાડેજા, 108 એમ્બ્યુલન્સ ટીમના વનરાજ મેદરાણીયા, ફાયર રેસ્ક્યુ ટીમના જય રાવલ અને ટીમ, ટ્રાફિક પોલીસ કંટ્રોલ ટીમ, આઈ.ઓ.સી.એલ.ની ટીમ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતમાં સફળતાપૂર્વક યોજાઈ હતી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર