સત્યપાલ વિરુદ્ધ CBIની ભ્રષ્ટાચાર કાર્યવાહી

સત્યપાલ મલિક વિરુદ્ધ સીબીઆઈની કાર્યવાહી: ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વચ્ચે રાજકારણ ગરમાયું

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક ફરીથી ચરચામાં છે. CBIએ કથિત ભ્રષ્ટાચારના મામલે મલિક સહિત 6 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ 2200 કરોડ રૂપિયાના કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના સિવિલ વર્ક્સ કોન્ટ્રાક્ટમાં થયેલી અનિયમિતતાઓ સાથે સંબંધિત છે.

CBIની તપાસ મુજબ, પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયામાં ગંભીર ખામીઓ રહી હતી. સત્યપાલ મલિકે પોતાના રાજભરેણ દરમિયાન દાવો કર્યો હતો કે તેમને આ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. એ દાવા તેમના સચિવ મારફતે પણ પુષ્ટિ પામ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે મલિકે આ મામલે ઘણા ઈન્ટરવ્યુ અને જાહેર કાર્યક્રમોમાં ખુલ્લા દિલે વાત કરી હતી. તેમને લાગતું હતું કે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો એ તેમની જવાબદારી છે. પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે અવાજ ઉઠાવનારને જ સંશયના ઘેરામાં લાવવામાં આવ્યો છે.

CBIએ 20 એપ્રિલ, 2022ના રોજ આ કેસમાં તપાસ શરૂ કરી હતી. ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સહિત કેટલીક ખાનગી કંપનીઓ અને અજાણ્યા શખ્સોને પણ આ કેસમાં સામેલ કરવામાં આવ્યા છે.

ચાર્જશીટ દાખલ થતાં જ સત્યપાલ મલિકે પોતાની હાલત અંગે ટ્વિટ કર્યું. તેમણે લખ્યું કે તેઓ હાલ ગંભીર રીતે બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે. એક તસવીર સાથે તેમણે કહ્યું કે ઘણા શુભેચ્છકોના ફોન તેમને મળી રહ્યા છે, પણ તેઓ વાત કરવાની સ્થિતિમાં નથી.

મલિકે આ મામલે ફરી એકવાર પ્રશાસન પર પ્રહારો કરતા કહ્યું કે, “આવું કેમ બને કે ભ્રષ્ટાચારના આરોપ લગાવનારા સામે તપાસ થાય, અને અસલી દોષિતો સામે કોઈ કાર્યવાહી ન થાય?”

આ કેસ હવે માત્ર કાનૂની નથી, પણ રાજકીય અને નૈતિક દિશામાં પણ ભારે ચર્ચાનો વિષય બની રહ્યો છે.

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર