હનુમાન જયંતિએ, ૧૧મી એપ્રિલે સવારે ૭:૩૦ વાગ્યે રાજોપચાર પૂજા થશે.શુક્રવારે કળશ યાત્રા અને 251 કિલો ફૂલો અર્પણ થશે.દાદાને 25,000 ચોકલેટ પણ અર્પણ કરવામાં આવશે.કષ્ટભંજનદેવનો અભિષેક 1008 કિલો ફૂલોથી થશે.સાંજે ૪ વાગ્યે કળશ યાત્રા યોજાશે.ઠાકોરજીને ૪ હાથીઓ પર બિરાજમાન કરાશે.હજારો મહિલા ભક્તો માથે અભિષેક જળ લાવશે.251 ભક્તો સાફા પહેરીને ભાગ લેશે.108 બાળકો વિજય ધ્વજ લહેરાવશે.આફ્રિકન સીદી નૃત્ય ખાસ આકર્ષણ રહેશે.ડી.જે., ઢોલ અને બેન્ડવાજા ભક્તોને મંત્રમુગ્ધ કરશે. સંતો ભક્તોને પુષ્પો અને ચોકલેટ અર્પણ કરશે..
