.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) ના રાજ ઠાકરેએ ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (આઇબીએ)ને ધમકી ભરેલો પત્ર લખ્યો છે. પત્રમાં ઠાકરેએ કહ્યું છે કે આરબીઆઈ અધિનિયમ મુજબ બેન્કોને તેમની સેવાઓમાં મરાઠી ભાષા ઉપલબ્ધ કરાવવી જોઈએ. નહિંતર એમએનએસ(MNS) આ મુદ્દે આંદોલન ઉગ્ર બનાવશે અને તેમને ગંભીરતાથી લેવું પડશે.
આ સંદર્ભે, ઉત્તર ભારતીય સંગઠને કોર્ટમાં અરજી કરી છે કે એમએનએસની માન્યતા રદ કરવી જોઈએ.
ઠાકરેએ આઇબીએને લખેલા પત્રમાં જણાવ્યું કે બેન્કોને Regional languages વિશે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા પરિપત્રને અનુસરીને જરૂરી સૂચનાઓ આપવી જોઈએ. જો તેમ નહીં થાય તો એમએનએસ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.
પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે બેન્કોના બોર્ડ ત્રણ ભાષાઓમાં હોવા જોઈએ: હિન્દી, અંગ્રેજી અને રાજ્યની પ્રાદેશિક ભાષા. અને સેવાઓ પણ તે ભાષામાં હોવી જોઈએ.એમ પત્ર માં લખવામાં આવ્યું છે
આથી ઉલ્લેખનીય છે કે MNS દ્વારા શરૂ કરાયેલ મરાઠી ભાષાના ઉપયોગ અંગેનું આંદોલન હાલ માટે સ્થગિત કરવામાં આવ્યું છે, કારણ કે આંદોલનથી મરાઠી ભાષા વિશે પૂરતી જાગૃતિ ફેલાઈ છે
