આરબીઆઈએ અમદાવાદની કલર મર્ચન્ટ્સ કોઓપ. બેંકનું લાઈસન્સ રદ કર્યુ, 98.51% ડિપોઝિટરોને મળશે વીમો
ભારતના રિઝર્વ બેંક (RBI)એ અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડનું લાઇસન્સ રદ કરી દીધું છે. RBIએ આ પગલું બેંકની નબળી આર્થિક સ્થિતિ અને આવક ઉત્પન્ન કરવાની અસમર્થતાને કારણે લીધું છે. હવે આ બેંક 16 એપ્રિલ, 2025થી તમામ કારોબાર બંધ કરશે.
ગ્રાહકોના હિતમાં લેવામાં આવ્યો નિર્ણય
RBIએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, બેંક પાસે પૂરતું મૂડીભંડોળ નથી અને તે પોતાની જવાબદારીઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. જો બેંકનો પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે, તો તે ડિપોઝિટરોના હિતને નુકસાન પહોંચાડી શકે છે. બેંક હવે ન તો નવા ડિપોઝિટ સ્વીકારી શકે, ન તો જૂનાની રકમ પાછી આપી શકે.
ડિપોઝિટ વીમાની રકમ મળશે
આ બેંકના ખાતાધારકો માટે રાહતની વાત એ છે કે તેઓ હવે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ સ્કીમ હેઠળ રૂ. 5 લાખ સુધીની રકમ પાછી મેળવવા પાત્ર છે. બેંક દ્વારા આપેલ માહિતી મુજબ, 98.51% ખાતાધારકોને તેમના આખા જમા રકમ પર વીમા હેઠળ રકમ મળતી થશે.
31 માર્ચ, 2024 સુધીમાં કુલ રૂ. 13.94 કરોડની ચૂકવણી ડિપોઝિટ વીમા હેઠળ થઇ ચૂકી છે, જે સંબંધિત ખાતાધારકોની સંમતિ બાદ કરવામાં આવી છે.
આ નિર્ણયથી સ્થાનિક ખાતાધારકોમાં થોડું દુઃખ જરૂર છે, પણ RBIના દાવા મુજબ, જાહેર હિત અને ખાતાધારકોની સુરક્ષા માટે આ નિર્ણય જરૂરી હતો.
