ગાઝા ફરી એકવાર બોમ્બગોળાના ગરમ ઉકળાટમાં સપડાયું છે. શુક્રવારે સવારે થયેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 90 નિર્દોષ લોકોનાં મોત થયા અને અનેક ઘાયલ થયા. બચાવ કાર્ય હવે પણ ચાલુ છે અને કાટમાળમાંથી લોકોની લાશો બહાર કાઢાતા મૃત્યુઆંક વધી શકે છે.
61 હજારથી વધુ નિહથા પલેસ્ટિનિયનોનાં મોત
ગાઝાની સરકાર મુજબ, છેલ્લા 18 મહિના ચાલેલા યુદ્ધમાં અત્યાર સુધી 61,000થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. બાળકો, મહિલાઓ અને વયસ્કો સહિત દરેક જીવન પર આ યુદ્ધે અસર કરી છે.
યુએનએ ચેતવણી આપી:
યુનાઇટેડ નેશન્સ (યુએન)એ કહ્યુ છે કે, “હજારો પલેસ્ટિનિયનો ભૂખમરા સુધી પહોંચી ગયા છે“, અને જો સમયસર સહાય ન મળે તો મોટી માનવીય દુર્ઘટના ટાળી ન શકાય.
હાસ્પિટલોમાં પણ તબાહીઃ
દક્ષિણ ગાઝાની કુવૈતી હોસ્પિટલમાં બાળકો ગંભીર આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યાં છે. હોસ્પિટલના ડૉક્ટર હાઝેમ મુસ્લેહ કહે છે, “આ બાળકોના જીવન માટે લડાઈ હવે બંદૂકથી નહીં પણ ભોજન અને દવાઓ માટે છે.”
અલ-બલાહ પર હુમલામાં 6 ભાઈઓ સહિત 37ના મોત:
રવિવાર રાત્રે થયેલા હુમલામાં એક પરિવારના 6 ભાઈઓ સહિત 37 લોકોનાં મોત થયા. તેમની ઉંમર 10 થી 34 વર્ષની વચ્ચે હતી.
ઇઝરાયલનો દાવો:
ઇઝરાયલનું કહેવું છે કે, “હમાસના નેતા હમઝા અસાફાને તેઓએ માર્યા છે”, જે 7 ઓક્ટોબરના હુમલામાં સામેલ હતા. જોકે આ દાવાની પુષ્ટિ આજ સુધી થઈ નથી.
વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પણ નિશાન પર:
અલ-હક નામના માનવાધિકાર જૂથે જણાવ્યું કે, ઇઝરાયલ ઘણી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સને તબાહ કરી રહ્યું છે. બેથલેહેમ નજીકનું અલ-મખરૂર, જે 2014માં યુનેસ્કોની યાદીમાં ઉમેરાયું હતું, હવે કબજાના જોખમમાં છે.
રફાહનો સંપર્ક તૂટી ગયો:
ઇઝરાયલના રક્ષણ પ્રધાન કાત્ઝે જણાવ્યા મુજબ, “મોરાગ કોરિડોર” પર કબજો લઈ ઇઝરાયલે રફાહ અને બાકીના ગાઝાને અલગ કરી દીધું છે.
કાત્ઝે ચેતવણી આપી કે, “હમાસને બહાર કાઢો અને બંધકોને મુક્ત કરો – નહિતર ગાઝાના દરેક ખૂણે આવું જ દ્રશ્ય જોવા મળશે.”
