શુભેન્દુની માંગ: હિન્દુઓને શસ્ત્રો, સુરક્ષા

પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં મુર્શિદાબાદ અને ઉત્તર 24 પરગણામાં થયેલી હિંસા બાદ રાજકીય માહોલ ભારે ગરમાયો છે. હિંસાના દ્રશ્યો પછી હજારો હિન્દુ પરિવારોને તેમના ઘરો છોડવા પડ્યા છે અને લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

શનિવારે, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ મોટું પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં હિન્દુઓની સુરક્ષા માટે કડક પગલાં ભરવાની માંગ ઊઠાવી.

શું કહ્યું અધિકારીએ?
શુભેન્દુએ જણાવ્યું કે, “આ વિસ્તારો બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા છે, જ્યાં હિન્દુઓને સ્વ-સુરક્ષા માટે સજ્જ કરવું જરૂરી છે. તેમને લાઇસન્સ પ્રાપ્ત શસ્ત્રો આપવાં જોઈએ અને ગામો સ્તરે સુરક્ષા સમિતિઓ બનવી જોઈએ.

હિંસામાં ત્રણના મોત અને હજારોનું સ્થળાંતર
11 એપ્રિલથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા છે. અસુરક્ષાની લાગણીને લીધે અનેક હિન્દુ પરિવારો સ્થળાંતર માટે મજબૂર બન્યા છે.

સ્થાનિકોની માંગ – કાયમી BSF કેમ્પ
મુર્શિદાબાદ અને ઉત્તર 24 પરગણાના રહેવાસીઓએ BSFના કાયમી કેમ્પની માંગ કરી છે જેથી આવી ઘટનાઓનો ભવિષ્યમાં પુનરાવૃત્તિ ન થાય.

રાજકીય તણાવ વધી રહ્યો છે
આ પ્રસ્તાવ સાથે હવે રાજ્યમાં રાજકીય ધ્રુવીકરણ વધુ તીવ્ર બન્યું છે. રાજ્ય સરકારની ભુમિકા પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે હિંસા અટકાવા માટે પૂરતી તૈયારી હતી કે નહીં.

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર