રાજ્યમાં એક તરફ ગરમી દિવસે દિવસે વધતી જાય છે અને બીજી તરફ આગના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા MKC ટાવરના બીજા માળે ભીષણ આગ લાગતાં અફડતફડી મચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે બિલ્ડિંગની ખિડકીના કાચ તોડવામાં આવ્યા હતા અને મોટી દુર્ઘટના ટળી રહે તે માટે વિસ્તારની લાઇટ પણ તાત્કાલિક બંધ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મહેનત સાથે કાબૂ મેળવી લીધો. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
પાછલા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં 6,556 આગના બનાવો નોંધાયા છે. જેમાંથી 60% ઘટના શૉર્ટ સર્કિટના કારણે થઇ છે. ખાસ કરીને માર્ચથી જૂન વચ્ચે આવા બનાવો વધારે નોંધાય છે. આ ત્રિવાર્ષિક ગાળામાં ફાયર બ્રિગેડે 12,369 લોકોને બચાવ્યા હતા અને 7,421 લોકોને ભયંકર આગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.
