ભાજપ નેતાઓ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો વિવાદ દિવસે દિવસે ગંભીર બને છે. ડૂબે, શર્મા અને વર્મા જેવા નેતાઓના વિવાદિત નિવેદનો સામે ભાજપે સત્તાવાર રીતે અંતર રાખ્યું છે, પણ આંતરિક રીતે હાઈકમાન્ડના આશીર્વાદથી જ આ નિવેદનો આવતાં હોવાની ચર્ચા છે.
સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ જેમ કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને બિલ અંગે સમયમર્યાદા આપવી કે વકફ કાયદાના સુધારાને સ્થગિત કરવો જેવા નિર્ણયો ભાજપ નેતાઓને ચુભ્યા છે. ઘણા નેતાઓએ કોર્ટ ઉપર “સુપર સંસદ” જેવું વર્તન કરવાનો આક્ષેપ કર્યો છે.
ડૂબે જેવા નેતાઓએ તો સુપ્રીમ કોર્ટ પર ધાર્મિક યુદ્ધ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે, જે સંવિધાનના માળખાને સમજ્યા વિના આપવામાં આવેલાં નિવેદનો છે. હકીકતમાં, ભારતીય સંવિધાનના કલમ 142 અનુસાર સુપ્રીમ કોર્ટને સંપૂર્ણ અધિકાર છે કે તે ન્યાય માટે જરૂરી તેવો કોઈપણ આદેશ આપી શકે.
ભાજપના વિવાદાસ્પદ વલણ સામે મોટું પ્રશ્નચિહ્ન ઉભું થયું છે — શું આ અહંકાર અને અજ્ઞાનતાનો પરિચય નથી?
