ભારતે પાક વિમાનો માટે હવાઈ માર્ગ બંધ કર્યો

પહલગામ હુમલાને લઈ ભારત-પાકિસ્તાન વચ્ચે ઉગ્રતા વચ્ચે, આજે ભારતે પાકિસ્તાનના વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ભારતે એક નોટિસ ટુ એરમેન (NOTAM) જાહેર કરી છે, જેમાં પાકિસ્તાનના રજીસ્ટર્ડ, સંચાલિત અથવા લીઝ પર લેવાયેલા તમામ વિમાનોને – જેમાં વ્યાવસાયિક તેમજ સૈન્ય વિમાનો પણ શામેલ છે – ભારતીય હવાઈ વિસ્તારનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ 30 એપ્રિલ 2025થી શરૂ થઈ 23 મે 2025 સુધી લાગુ રહેશે.

આ પહેલાં, પાકિસ્તાનએ 26 લોકોના મોતની બનેલી આતંકી ઘટનાના પગલે ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું હતું.

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર