મોદી સરકારે IMFથી સુબ્રમણ્યમને હટાવ્યા

મોદી સરકારનો ચોંકાવનારો નિર્ણય: IMFમાંથી કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને તાત્કાલિક હટાવાયા

મોદી સરકારે આંતરરાષ્ટ્રીય નાણાં કોષ (IMF)માં ભારતના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને પદ પરથી તાત્કાલિક અસરથી હટાવવાની જાહેરાત કરી છે. 30 એપ્રિલે નીકળેલા અધિકૃત આદેશ મુજબ, મંત્રીમંડળની નિમણૂક સમિતિએ તેમની સેવાઓ રદ કરી છે.

શું છે પાછળનું કારણ?

અહેવાલો મુજબ, કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનના ડેટા એકઠા કરવાની પદ્ધતિ અને રેટિંગ સિસ્ટમ અંગે અમુક મતભેદો હતા. ત્યારબાદ તેમને લઇને આંતરિક અસહમતિઓ ઊભી થઈ. એટલું જ નહીં, સરકાર પણ તેમના કાર્યથી nખુશ હતી અને IMF માં ભારતના પક્ષને બળાપા આપવા અંગે પણ પ્રશ્નો હતા.

શા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે?

ડૉ. સુબ્રમણ્યન 1 નવેમ્બર 2022થી પદ પર હતા અને તેમનો કાર્યકાળ નવેમ્બર 2025 સુધીનો હતો. તેમ છતાં તેમને 6 મહિના પહેલાં જ હટાવી દેવામાં આવ્યા. આ નિર્ણય 9 મેની મહત્વપૂર્ણ બેઠક પહેલા લેવાયો છે જેમાં પાકિસ્તાનને નાણાકીય સહાય પર ચર્ચા થવાની છે. સૂત્રો કહે છે કે ભારત આતંકવાદી ભંડોળ મુદ્દે પાકિસ્તાનને સહાય ન આપવાની વકાલત કરશે.

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર