ઓપરેશન સિંદૂર” અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાન તરફથી જમ્મુ, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ડ્રોન હુમલાની કોશિશ કરવામાં આવી.
જમ્મુ એરસ્ટ્રિપ પર થયેલા ડ્રોન હુમલાઓ ભારતીય સેનાએ સફળતાપૂર્વક અટકાવ્યા અને બધા દુશ્મન ડ્રોનને તોડી નાંખ્યા. ખાસ કરીને સાંબામાં ભારે ગોળીબાર થયો, જેને કારણે સમગ્ર જમ્મુમાં એલર્ટ જારી કરાયો. સાયરન વાગ્યા, નાગરિકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ અને સમગ્ર વિસ્તાર બ્લેકઆઉટમાં રાખવામાં આવ્યો.
જમ્મુ કાશ્મીરમાં મોબાઇલ નેટવર્ક કામ કરતું નથી અને ચાંપતી સુરક્ષા વચ્ચે એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય કરવામાં આવી છે. S-400 મિસાઇલ સિસ્ટમ દ્વારા પાકિસ્તાનના 8 મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.
આ સાથે ગુજરાતના કચ્છના ભૂજમાં પણ સલામતીના પગલે બ્લેકઆઉટ જાહેર કરાયું છે. પાકિસ્તાને પોતાના મોટા એરપોર્ટ્સ બંધ કરી દીધા છે, જેનાથી ઘર્ષણ વધુ ઉગ્ર બન્યું છે.
