ભારત-પાક તણાવ વચ્ચે નેપાળ સરહદ સીલ, કર્ફ્યૂ

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવની વચ્ચે ભારત-નેપાળ સરહદ સીલ, બિહારમાં તાકીદની તૈયારી

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને પગલે ભારતે હવે અન્ય સરહદો પર પણ સુરક્ષાને લઇને પગલાં લેવાં શરૂ કરી દીધાં છે. ભારત-નેપાળ સરહદ હવે બે મહિનાના માટે સંપૂર્ણ સીલ કરવામાં આવી છે. બિહારની 729 કિલોમીટર લાંબી સરહદને લઇને રાત્રિ 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

સુરક્ષાને દ્રષ્ટિએ સરહદ પર આવનાર-જનાર દરેક વ્યક્તિની કડક રીતે તપાસ થઈ રહી છે. સરહદ પર 24 કલાક પોલીસ અને એસએસબી (SSB)ના જવાનો ચાંપતી નજર રાખી રહ્યા છે. તેના માટે તમામ એસએસબી જવાનોની રજાઓ તાત્કાલિક રદ્દ કરી દેવામાં આવી છે.

સરહદ પર દિવસ-રાતની દેખરેખ

વાલ્મીકિનગર, રક્સૌલ, બૈરગનિયા, ભીટ્ટામોડ, જયનગર અને લૌકહા જેવા મહત્વના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. અરરિયા અને કિશનગંજ વિસ્તારમાં પણ સુરક્ષા બંદોબસ્ત મજબૂત કરાયો છે જેથી પાકિસ્તાન અથવા ISIના એજન્ટ્સ છુપાઈને નેપાળ મારફતે ભારતમાં પ્રવેશ ન કરી શકે.

બિહાર સરકારે પણ ચેતવણી આપી

બિહાર સરકારે તાત્કાલિક પગલાં લેતાં સમગ્ર રાજ્યના પોલીસ વિભાગ અને ઈમરજન્સી સેવાઓમાં સંકળાયેલા અધિકારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈપણ સમયે ગંભીર સ્થિતિ ઊભી થાય તો પૂરતી તૈયારી હોવી જોઈએ.

રાજ્યના અપર મુખ્ય સચિવ ડો. બી. રાજેન્દ્રાએ જાહેર કરેલા આદેશ અનુસાર કોઈ પણ સરકારી કર્મચારીને આગામી સૂચના મળ્યા સુધી રજા ન અપાય. ખાસ કરીને તાત્કાલિક સેવાઓ – જેમ કે આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા વિભાગને હંમેશા એલર્ટ પર રાખવામાં આવ્યો છે.

આ તમામ વ્યવસ્થાઓ એ વાતનો સાક્ષાત પુરાવો છે કે ભારત તણાવની પરિસ્થિતિમાં પણ સંપૂર્ણ રીતે સતર્ક છે અને દરેક હદ પર પોતાની ભુમિકા મજબૂતીથી નિભાવી રહ્યો છે.

વધુ સમાચાર

 

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર