ભારત-પાકિસ્તાન યુદ્ધLIVE: બંને દેશો વચ્ચે તાત્કાલિક સમાધાન, આજે સાંજે 5 વાગ્યા પછી તમામ પ્રકારની સેના કાર્યવાહીઓ બંધ
વિદેશસચિવ વિક્રમ મિસ્રીએ આજે જાહેર કર્યું કે ભારત અને પાકિસ્તાનના લશ્કરી ઓપરેશન્સના મહાનિર્દેશકો (DGMO) વચ્ચે આજે મહત્વપૂર્ણ વાતચીત થઈ. બંને પક્ષોએ ભૂમિ, હવા અને સમુદ્રમાં ચલાવવામાં આવતી તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી અટકાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય આજે સાંજે 5 વાગ્યા (IST)થી અમલમાં આવ્યો .
આ નિવેદન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકાની મધ્યસ્થતામાં “પૂર્ણ અને તાત્કાલિક” યુદ્ધવિરામ પર સહમતિ થઈ છે.
પાકિસ્તાનના DGMOએ આજે બપોરે 3:35 વાગે ભારતના DGMOને ફોન કર્યો હતો. બંને વચ્ચે થયેલી વાતચીતમાં શાંતિસપથનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દેશોની સેના ને આ આદેશો આપવામાં આવ્યા છે કે અત્યારથી તમામ લશ્કરી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવી.
વિદેશસચિવએ કહ્યું કે DGMOની ફરી વાતચીત 12 મેના રોજ બપોરે 12 વાગ્યે યોજાશે, જેમાં શાંતિ પ્રક્રિયાની આગળની દિશા અંગે ચર્ચા થશે.
