બીઆર ગવઇ દેશના નવા CJI બન્યા, શપથ લીધા

https://www.gstv.in/news/india/the-president-administered-the-oath-of-office-to-justice-gavai-as-cji

 

ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ બુધવારે શપથ લીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દેશના 52મા CJI તરીકે શપથ લેવડાવી. જસ્ટિસ ગવઈનું કાર્યકાળ 23 નવેમ્બર, 2025 સુધી રહેશે. તેઓ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે અને ન્યાય ક્ષેત્રમાં વર્ષોનો અનુભવ ધરાવે છે.

ગવઈએ પોતાની કારકિર્દી 1985માં શરૂ કરી હતી અને 2003માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા હતા. 2019માં તેઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા અને અનેક ઐતિહાસિક ચુકાદાઓનો હિસ્સો રહ્યા.

તેઓએ નોટબંધીના નિર્ણયનો સમર્થન કર્યો હતો, કલમ 370 રદ કરનાર ચુકાદામાં ભાગ લીધો હતો અને ચૂંટણી બોન્ડ સ્કીમને રદ કરનાર બેન્ચનો પણ ભાગ રહ્યા. SC/ST માટે પેટા-વર્ગીકરણની પણ તેમણે સમર્થન સાથે વ્યાખ્યા આપી હતી.

જસ્ટિસ ગવઈએ તાજેતરમાં એ પણ સ્પષ્ટ કર્યું કે કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના બુલડોઝર ચલાવવો એ ગેરકાયદેસર છે – આ કહેવાતું ‘બુલડોઝર ન્યાય’ બંધ કરવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમના નિર્ણયોએ ન્યાય પ્રત્યેની તેમની સમજ અને ગંભીરતા સ્પષ્ટ કરી છે.

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર