બ્રિટન-ફ્રાંસ નો નેતાન્યાયહૂ સામે વિરોધ

ઇઝરાયલનો ગાઝા પર સંપૂર્ણ કંટ્રોલનો સંકલ્પ: યુરોપિયન દેશોની કડક ટિપ્પણીઓ

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેટન્યાહૂએ જાહેર રીતે કહ્યું છે કે તેઓ ગાઝા પર સંપૂર્ણ કંટ્રોલ મેળવશે. આ કંટ્રોલ માત્ર લશ્કરી નહીં, પરંતુ રાજકીય અને માનવતાવાદી સ્તરે પણ લાગુ પડશે. આ સંકલ્પના ભાગરૂપે હમાસના મૂળ નાશ, બંધકોની મુક્તિ અને ઇઝરાયલના નાગરિકોની સુરક્ષા મુખ્ય ધ્યેય તરીકે ગોઠવાયા છે.

પરંતુ ઇઝરાયલની આ દિશામાં આગળ વધતી કાર્યવાહી પર બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે જો ઇઝરાયલ હમલાખોર વલણ બંધ નહીં કરે તો તેઓ વધુ નક્કર પગલાં લેશે.

ગાઝાની હકીકત: દુઃખદ અને ભયજનક સ્થિતિ

ગાઝા શહેરમાં હાલના સમયમાં માનવીય પરિસ્થિતિ અત્યંત કઠિન બની ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં ઈઝરાયલી હવાઈ હુમલાઓમાં 300થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં અનેક બાળકો પણ સામેલ છે. દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેર પર તાજેતરના હુમલાઓમાં વિનાશક દૃશ્યો સર્જાયા છે.

આજની તારીખે ગાઝામાં ખોરાક, પીવાનું પાણી અને ઇંધણ જેવી મૂળભૂત જરૂરિયાતોની પણ અછત છે. ઇઝરાયલે તમામ પ્રકારની પુરવઠા લાઇનો બંધ કરી દીધી છે, જેના કારણે ત્યાં દુષ્કાળ સમાન સ્થિતિ સર્જાઈ છે. ઇઝરાયલ દાવો કરે છે કે આ કડક પગલાં હમાસના દબાણ હેઠળ લેવામાં આવી રહ્યાં છે, જેથી 58 જેટલા બંધકોને મુક્ત કરી શકાય.

યુરોપના દેશોનો વિરોધ

બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ નિંદા કરતા કહ્યું કે, “અમે ચૂપ નહીં બેસી. જો નેતન્યાહૂ તેની નીતિમાં ફેરફાર નહીં લાવશે, તો અમે તાત્કાલિક પગલાં લઈશું.” આ દેશોએ ઇઝરાયલના કાર્યને આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન સમાન ગણાવ્યું છે. તેમણે ખાસ કરીને અનાજ અને દવાઓની નાકાબંધીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે એ માનવાધિકારોની ધજાગર છે.

યુરોપિયન દેશોએ એવો આરોપ પણ લગાવ્યો કે ઇઝરાયલના કેટલાક મંત્રીઓ ગાઝાની નાગરિક વસ્તીને બળજબરીથી સ્થળાંતર કરવા ધમકી આપી રહ્યા છે, જે અત્યંત ગંભીર વાત છે.

નેતન્યાહૂનો પ્રતિકાર

આ ટીકા સામે નેટન્યાહૂએ મજબૂત પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બ્રિટન, કેનેડા અને ફ્રાન્સ 7 ઓક્ટોબરના હમલાને યોગ્ય ઠેરવી રહ્યા છે. તેમણે કહ્યું, “આ દેશો, પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર માટે પ્રતિસાદ આપવાને બદલે ઇઝરાયલને જ દોષી ઠેરવી રહ્યા છે.”

તેમણે સ્પષ્ટ કર્યું કે, “જ્યારે સુધી તમામ બંધકો મુક્ત નહીં થાય, હમાસ શસ્ત્રો નાંખી નહીં દે અને આખો ગાઝા આતંકવાદમુક્ત ન બને ત્યાં સુધી યુદ્ધ અટકાવાશે નહીં.”

નેટન્યાહૂએ વધુમાં કહ્યું કે, “આ માત્ર યુદ્ધ નથી, આ નિર્દોષ જીવનને બચાવવા માટેની અને આતંક સામે માનવતા માટેની જંગ છે.”

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર