નાઇજીરીયામાં પૂરનો કહેર, 88નાં મોત

નાઇજીરીયામાં ભયંકર પૂરે 88 જીવ લીધા, ડેમ તૂટતાં પરિસ્થિતિ કાબૂ બહાર

નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં આવેલ મોકવા શહેરમાં ગુરુવારે ભયાનક પૂર આવ્યો. આ પૂરથી 88 લોકોના મોત થયા છે અને અત્યાર સુધી મૃત્યુઆંક વધી રહ્યો છે.

મોકવા શહેર એક મોટું વેપાર કેન્દ્ર ગણાય છે જ્યાં દક્ષિણના વેપારીઓ અને ઉત્તરના ખેડૂતો રોજગાર માટે ભેગા થાય છે. ગુરુવારે આવેલ આ પૂર મોટે ભાગે સતત પડેલા ભારે વરસાદ અને નજીકના શહેરના ડેમ તૂટવાને કારણે આવ્યો હતો.

સ્થાનિક તંત્ર સતત રાહત કાર્યમાં લાગેલું છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા હુસૈની ઇસાએ જણાવ્યું કે રાહત કામગીરી ચાલુ છે અને મૃતદેહો શોધવાનું કામ ચાલી રહ્યું છે. “હવે સુધી 88 મૃતદેહો બહાર કાઢાયા છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે,” તેમ તેમણે જણાવ્યું.

મોસમી પુરો નાઇજીરીયાની સમસ્યા બની ગઈ છે.
સપ્ટેમ્બરમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ મિદુગુરી વિસ્તારમાં સર્જાઈ હતી, જ્યાં 30 લોકોના મોત થયા હતા અને લાખો લોકો ઘરવિહોણા થયા હતા.

બોકો હરામના આતંકથી પીડાતા લોકો માટે આ પૂરની ત્રાસદાયક સ્થિતિ વધુ કઠિન બની છે.
હુમલાઓ અને આતંકવાદથી પીડાતા આ વિસ્તારમાં હવે કુદરતી આફત પણ માનવતા પર કહેર વરસાવી રહી છે.

નાઇજીરીયા ઘણીવાર નાઇજર અને બેનુ નદીઓના કિનારાના વિસ્તારોમાં આવા મોસમી પૂરનો સામનો કરતું રહે છે. આવી સ્થિતિઓમાં લોકજીવન, ખેતી અને વેપાર તમામ પર ભયંકર અસર પડે છે.

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર