બાંકે બિહારી કોરિડોરથી ગોસ્વામી સમાજ નારાજ

બાંકે બિહારી મંદિર કોરિડોર વિવાદ: ગોસ્વામી સમાજનું ઉગ્ર વિરોધ શા માટે?

વૃંદાવનના પાવન બાંકે બિહારી મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. તહેવાર કે રજાઓમાં આ સંખ્યા લાખો સુધી પહોંચી જાય છે. ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓને સુવિધા મળી રહે તે હેતુથી ઉત્તર પ્રદેશ સરકાર મંદિર પાસેના પાંચ એકર વિસ્તારમાં વિશાળ કોરિડોર બનાવવાનું આયોજન કરી રહી છે. પરંતુ આ યોજના હવે વિવાદમાં આવી ગઈ છે.

ગોસ્વામી સમાજે કેમ ઉઠાવ્યું વાંધો?
મંદિરના પરંપરાગત પૂજારી ગણાતા ગોસ્વામી સમાજે આ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો છે. તેમનો દાવો છે કે મંદિર તેમની ખાનગી સંપત્તિ છે અને સરકારનો દખલ અસ્વીકાર્ય છે. તેઓએ તો ઠાકુરજીના સ્થળાંતરની પણ ચીમકી આપી છે.

જમીનના હકનો વિવાદ
ગોસ્વામી સમાજનું કહેવું છે કે તેઓ વર્ષો થી આ મંદિરનું પાલન કરતા આવ્યા છે. જોકે, રેકોર્ડ પ્રમાણે જમીન મંદિરના નહીં પરંતુ ગોવિંદદેવના નામે નોંધાયેલ છે, જે જાહેર મોહત્સવ માટે ખુલ્લું સ્થાન માનવામાં આવે છે.

સદીઓ જૂની સંસ્કૃતિને ધકેલો
વિરોધનો બીજો મોટો મુદ્દો છે વૃંદાવનની સંસ્કૃતિ અને માહોલ. ગોસ્વામી સમાજનો દાવો છે કે કોરિડોરના નિર્માણથી વૃંદાવનની સાંકડી શેરીઓ અને કુંજગલીઓ નષ્ટ થઈ જશે, જે અહીંના આધ્યાત્મિકતાનું જીવંત રૂપ છે.

આજીવિકા ઉપર પડતી અસર
કોરિડોર માટે આશરે 100 દુકાનો અને 300 ઘરોનું અધિગ્રહણ કરવાનું છે. સરકાર વળતર આપવાની વાત કરી રહી છે, પરંતુ સ્થાનિક લોકો અને ગોસ્વામી સમાજે આ મુદ્દે ભય વ્યક્ત કર્યો છે. તેમને ચિંતા છે કે ટેન્ડર પ્રક્રિયામાં ગેરવહેવાર થઈ શકે છે અને તેમને યોગ્ય વળતર નહીં મળે. આવકના સ્ત્રોત પર પણ અસર પડશે.

વધુસમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર