ભારતમાં 10 વર્ષમાં ગરીબી ઘટી: વર્લ્ડ બેંક

ભારતમાં 10 વર્ષમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો, વર્લ્ડ બેન્કનો રિપોર્ટ ખુશીના આંકડા લાવ્યો

વિશ્વ બેંકે તાજેતરમાં પોતાની ગરીબીની વ્યાખ્યા સુધારવી હતી – હવે $2.15 નહિ પણ $3 પ્રતિ દિવસની આવક નીચે જીવતા લોકોને “અત્યંત ગરીબ” ગણવામાં આવે છે. આ નવા ધોરણ મુજબ પણ ભારતે ગરીબી ઘટાડવામાં શાનદાર પ્રગતિ દર્શાવી છે.

2011-12માં જ્યાં 27.1% વસ્તી અત્યંત ગરીબીમાં જીવતી હતી, તે 2022-23માં ઘટીને માત્ર 5.3% રહી છે. આનો અર્થ એ થયો કે દેશમાં ગરીબી રેખાથી નીચે રહેનાર લોકોની સંખ્યા 344 મિલિયનથી ઘટીને 75 મિલિયન થઈ ગઈ છે.

???? શહેર અને ગામે ગરીબીમાં મોટો ફેરફાર
  • ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી દર 18.4% થી ઘટીને 2.8% થઈ ગયો છે.

  • શહેરી વિસ્તારોમાં તે 10.7% થી ઘટીને 1.1% પર આવી ગયો છે.

  • શહેર અને ગામ વચ્ચેનો તફાવત પણ 7.7% થી ઘટીને હવે માત્ર 1.7% રહ્યો છે.

  • વર્ષોના સરેરાશ ઘટાડાનો દર આશરે 16% રહ્યો છે – જે ખૂબ જ હકારાત્મક છે.

???? રોજગારમાં સુધારો અને આવકમાં વધારો

વર્લ્ડ બેંકના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં રોજગારમાં વધારો થયો છે. 2021-22 પછી ખાસ કરીને રોજગારીના આંકડાઓમાં સતત સુધારો જોવા મળ્યો છે, જેના પરિણામે ઘણાં લોકોને ગરીબીમાંથી બહાર આવવાની તક મળી છે.

????️ યોગદાન આપનારા રાજ્યોએ બદલ્યું દેશનું ચહેરું

ભારતના પાંચ મોટા રાજ્ય – ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ – અહીં 2011-12માં ભારતના 65% ગરીબ લોકો રહેતા. પણ 2022-23માં આ રાજ્યો દ્વારા અત્યંત ગરીબી ઘટાડામાં બે-તૃતીયાંશ યોગદાન મળ્યું છે. આ રાજ્યોએ સમાવેશી વિકાસ તરફ મહત્ત્વપૂર્ણ પગલાં ભર્યા છે.

???? વર્લ્ડ બેન્કનો PEB રિપોર્ટ શા માટે મહત્વપૂર્ણ?

PEB (Poverty and Equity Brief) દર વર્ષે બે વખત પ્રકાશિત થાય છે અને 100થી વધુ દેશોની ગરીબી અને અસમાનતાના વલણો વિશે માહિતી આપે છે. તે દેશોની નીતિઓ માટે માર્ગદર્શક બની રહે છે અને વૈશ્વિક સ્તરે ગરીબી ઘટાડવાની દિશામાં આગળ વધવામાં મદદરૂપ થાય છે.

વધુ સમાચાર   

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર